Jamnagar: જામનગર શહેરમાં 23 કરોડના કૌભાંડ કર્યા બાદ ફરાર આરોપી યસ દિનેશભાઈ સોલાણીને જામનગર પોલીસે નેપાળ બોર્ડરથી ઝડપી પાડ્યો છે ઘણા સમયથી ફરાર હતો ત્યારે જામનગર પોલીસને આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે વધુમાં જણાવી દઈએ તો આરોપી વિરોધ સીટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. યસ દિનેશભાઈ સોનાની નામનો આરોપી ઘણા સમયથી ફરાર હતો પોલીસ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી
23 કરોડનું કૌભાંડ કરનાર આરોપી વિદેશ રફુ ચક્કર થવાની તૈયારીમાં હતો તે પહેલા જ પોલીસે તેમને દબોચી જેલ હવાલે કર્યો હતો મુખ્ય આરોપી પૈકી નાસી જવાની તૈયારી કરી રહ્યા હતા હાલ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે, આરોપીયર્સ IPC ની કલમ 70 મુજબ વોરંટમાં નાસ્તો ફરતો હતો ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફના ઇન્વેસ્ટિગેશન દરમિયાન અને ખાસ કરીને ટેકનિકલ એવિડીયન્સ પર બાતમીના આધારે આરોપી યસ દિનેશ સોલાણી પ્રથમ દુબઈ અને ત્યાંથી થાઈલેન્ડ ગયો હતો ત્યારબાદ થાઈલેન્ડથી નેપાલ આવતા જ તેમને બોર્ડર પરથી જામનગર પોલીસે ઝડપી પાડ્યો હતો
મળતી માહિતી અનુસાર નેપાળથી કોઈપણ રાજ્યના બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરવાનો આરોપી પ્લાન કરી રહ્યો હતો. આરોપી સોનાનીને નેપાળ રક્ષોલ બોર્ડરથી ભારતમાં પરત આવવાનું હોય તેવી માહિતી પોલીસને મળી હતી ત્યારબાદ પોલીસે તેમને પકડવા માટે ટીમ તૈયાર કરી હતી. બોર્ડર બી આર ખાતેથી આરોપીને તપાસમાં મોકલાવેલો હતો ત્યારબાદ તપાસમાં ગયેલી ટીમને નેપાલથી ભારત પ્રવેશ કરવામાં ચેક પોસ્ટ પર પહોંચ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન આરોપી નેપાલથી જામનગરમાં આવતા તુરંત ઝડપી પાડવામાં આવ્યું હતું
આરોપી યસ દિનેશભાઈ સોલાણી જામનગરનો રહેવાસી છે તેમને તપાસમાં ગયેલી ટીમને મૌખિક પૂછપરછ કરી હતી ત્યારે તેમણે ક્રેડિટ બૂલ્સ કંપનીમાં એચ આર હેડવાનું પણ કબૂલ્યું હતું ત્યારબાદ ગુનાની કબુલાત પણ કરી હતી ત્યારબાદ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે