Jamnagar News : ગુજરાતમાં છેતરપિંડીના કેસો અવારનવાર સામે આવતા હોય છે વધુ એક કેસ જામનગરમાંથી સામે આવ્યો છે જેમાં બે બ્રાસપાર્ટના કારખાનેદારો સાથે 74 લાખની છેતરપિંડી આચાર્ય હોવાની ફરિયાદ પંચકોષીબી ડિવિઝન પોલીસ પંથકમાં નોંધાઈ હોવાનું સામે આવ્યું છે, મૂળ વરસાદ અને હાલ અમદાવાદમાં રહેતા એક વેપારીને જામનગરના બે બ્રાન્ચપાર્ટના કારખાનેદારોએ 74 લાખનો માલ સપ્લાય કર્યો હતો પરંતુ માલના પૈસા ન આપી છેતરપિંડી કરવા અંગે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી અનુસાર જામનગર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં કારખાનું ચલાવતા હિરેનભાઈ મનસુખભાઈ પટેલ જેવો પોતાના કારખાનામાં તૈયાર કરેલો માલ સામાન ઉપરાંત અન્ય કારખાનું ચલાવનાર ચિરાગભાઈ પટેલ પણ પોતાને ત્યાં પિત્તળનો માલ સમાન તૈયાર કરીને વેપારીઓને વેચવાનું કામ કરતા હતા ત્યારે વલસાડના વેપારી મયુરભાઈ હરીશભાઈ દૂધૈયાને માલ સપ્લાય કર્યો હતો પરંતુ તેમણે માલના પૈસા ન મળતા વિશ્વાસઘાત કરી છેતરપિંડી આંચરી હતી
વધુમાં જણાવી દઈએ તો કારખાનાદારે ગયા જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અનેક વખત પોતાની નીકળતી રકમ 74,54,000 કરતાં વધુની રકમની માંગણી કરતા હતા આરોપી દ્વારા તે રકમ કોઈ કારણોસર ન આપી હતી સાથે જ ચેક આપ્યા હતા પરંતુ તે ચેક બેંક માંથી રિટર્ન થયો હતો
કારખાનાદારે પોતાના સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ પંચકો ડિવિઝન પોલીસ પત્રકમાં નોંધાઈ હતી અને હિરેનભાઈ પટેલ દ્વારા વલસાડના મયુરભાઈ હરીશભાઈ દુધૈયા કે જે આ હાલ અમદાવાદમાં રહે છે તેની સામે પણ 74 લાખ કરતા વધુની છેતરપિંડીની થયા હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે