ધ્રોલ પાસે થયેલ અકસ્માતમાં ત્રણ મિત્રોના કરુણ મોતની નીપજ્યા હતા ગત રાત્રે એટલે કે 15 જાન્યુઆરી 2025 ના રોજ મોડી રાત્રે લતીપુર પાસે આવેલ ગોકુલપુર ગામની વચ્ચે કારમાં સવાર ત્રણ મિત્રો પસાર થતા કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું જેથી કાર પલ્ટી જતા અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે વ્યક્તિઓને નાની-મોટી ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી
બનાવની વિગતો વિશે વાત કરીએ તો ધ્રોલ તાલુકાના લતીપર અને ગોકુલપુર ગામ વચ્ચે 15 જાન્યુઆરીના રાત્રીના સમયે ભયંકર અકસ્માત સર્જાયો હતો મોડી રાત્રે GJ36 AC 4957 નંબરની કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કારમાં સવાર રિસિભાઈ મુકેશભાઈ ચભાટિયા જેવો લતીપર રહે છે ત્યારબાદ ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા જેવો જામનગર રહે છે અને વિવેકભાઈ દિનેશભાઈ પરમાર તે પણ જામનગર રહે છે આ ત્રણેય મિત્રોને ગંભીર ઈજા પહોંચતા ત્રણેયના કમકમાટી ભર્યા મોતની નીપજ્યા હતા જ્યારે અન્ય ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
અકસ્માતની બનાવની જાણ થતા ધ્રોલ પીઆઇ એચ. વી. રાઠોડ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારબાદ ત્રણેય મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી પ્રાથમિક મળતી વિગતો અનુસાર કારમાં સવાર પાંચ યુવાનો લતીપર ગામમાં લગ્ન પ્રસંગે દાંડીયારાસમાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યાં દાંડીયારાસ પૂર્ણ થયા બાદ પાંચ મિત્રો નાસ્તો કરવા ગયા હતા અને ત્યાંથી પરત કરતી સમયે ગોકુલપુર નજીક અકસ્માતની ઘટના બની હતી કોઈ કારણોસર સ્ટેરીંગ પરથી ડ્રાઇવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય બે વ્યક્તિઓને નાની મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા