Jamnagar:જામનગર શહેરમાં ફરી એકવાર લાપત્તાની ઘટના બની છે શહેરના ઠેબા ગામમાં રહેતી 21 વર્ષની પરિણીત યુવતી અચાનક સાંજના સમયે લાપત્તા થઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે મળતી વિગતો અનુસાર પારસબેન ગિરધરભાઈ મકવાણા જેવો ઠેબા ગામમાં રહે છે સાંજના સમયે 15 મી તારીખે 6:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નાસ્તો લેવા ગઈ હતી તે દરમિયાન ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી તેમજ સગા સંબોધીઓને પણ જાણ કરી હતી તેમ છતાં પારસબેન ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી
બનાવની વિગતો એવી છે કે ઠેબા ગામમાં રહેતા ગિરધરભાઈ બોઘાભાઈ મકવાણાએ એ.ડિવિઝન પોલીસમાં સંપર્ક કરીને પોતાની પુત્રી ગુમ થયા આવવાની જાણકારી હતી ત્યારબાદ પોલીસે પંચકોશી એ ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા પારસબેન મકવાણા ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી
હાલ પોલીસ આ અંગે લાપત્તા પારુલબેનને શોધવા વધુ તપાસ હાથ ધરી છે સાથે જ તેમનું અપહરણ કરવામાં આવ્યું છે અથવા કયા કારણોસર તેઓ ગુમ થઈ છે તે દિશામાં પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, ગિરધરભાઈ બોઘાભાઈ મકવાણાએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો સામે આવ્યો છે ગત 15 મી તારીખે લાપતા થયેલી પારુલ બેનનો હજુ સુધી કોઈ પ્રકારની માહિતી સામે નથી આવી