Jamnagar : ગુજરાતમાં ફરવા લાયક સ્થળમાંથી એક જામનગર નજીક આવેલ બેડીદરિયા વિસ્તારમાં પીરોટન ટાપુ (Pirotan Island) પ્રવાસીઓ માટે ખૂબ જ જાણીતું સ્થળ માનવામાં આવે છે જે લોકો ગુજરાત બહારથી પણ ફરવા આવે છે ત્યારે જામનગર જિલ્લાના એસ.પી.પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવાની કામગીરી પિરોટન ટાપુમાં કરવામાં આવી હતી. પીરોટન ટાપુ પર ગેરકાયદેસર દબાણો દૂર કરીને જગ્યાઓ ખુલ્લો કરવામાં આવી હતી સાથે જ ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યું હતું
વધુમાં મળતી વિગતો અનુસાર પીરોટન ટાપુ પર સુરક્ષા એજન્સો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જ આગામી 26મી જાન્યુઆરીએ રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ વખત ધ્વજવંદનનો કાર્યક્રમ ટાપુમાં યોજવા જઈ રહ્યો છે.જામનગર શહેરથી થોડે દૂર આવેલ બેડી દરિયા વિસ્તારમાં પીરોટન ટાપુ ખૂબ જ જાણીતું સ્થળ માનવામાં આવે છે જ્યાં ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યું હતું સાથે જ ધાર્મિક દબાણ અને પણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે પોલીસ બંદોબસ્ત સાથે પીરોટન ટાપુમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરીને જગ્યાઓ ખુલી કરવામાં આવી હતી
પીરોટન ટાપુ પર 26 જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે સાથે જ ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાશે તેવી માહિતી મળી રહી છે આ કાર્યક્રમમાં જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલાની રાવબરી હેઠળ બેડી મરિન પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ અન્ય પોલીસ વિભાગની ટીમ સાથે જામનગર સ્થિત કાર્યરત કોસ્ટ ગાર્ડ સહિતની સુરક્ષા યોજના 30 થી વધુ અધિકારીઓ અને જવાનો 26મી જાન્યુઆરીના રોજ યોજવા જઈ રહેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે