રાશન કાર્ડ અંગે સરકારનુ મોટુ એક્શન – આ લાભાર્થી નહી મળે રેશન

ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત ગરીબી રેખાથી નીચે જીવતા નાગરિકોને મફતમાં અનાજ વિતરણ કરે છે. આ રાશનકાર્ડ દરેક નાગરિકની ઓળખ સાથે જોડાયેલું હોય છે. હવે સરકાર દ્વારા રાશનકાર્ડના ઈ-કેવાયસી (E-KYC) કરાવવું ફરજિયાત બનાવાયું છે.તેથી જેમણે હજુ સુધી E-KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તેમના માટે મોટું અપડેટ છે. 1 જૂનથી ગુજરાતની તમામ રાશન દુકાનો બંધ રહેશે, કેમ કે અનેક નાગરિકોએ હજી પણ E-KYC કરાવ્યું નથી.

આ નિર્ણય ગુજરાત ફેરપ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાઈસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા લેવાયો છે. એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીના જણાવ્યા અનુસાર, “અધિકારીઓએ યોગ્ય કામગીરી કરી નથી, જેના કારણે KYC પ્રક્રિયા વધુ જટિલ બની ગઈ છે. જથ્થો રોકાતા ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે.”

મોદીએ વધુમાં જણાવ્યું કે, “સરકારએ 14 મેના રોજ એ તમામ ગ્રાહકોનો જથ્થો અટકાવ્યો હતો જેમણે KYC પૂર્ણ કરી નથી. હવે E-KYCનું કામ સરકાર જ પૂર્ણ કરે, ત્યારે જ વિતરણ પુનઃ શરૂ કરાશે.”સાથે સાથે તેમણે જણાવ્યું કે, અગાઉ સરકારએ E-KYC માટે 5 રૂપિયાની સહાય આપવાનું કહ્યું હતું, પણ તે પણ હજુ સુધી મળ્યું નથી.

ઘર બેઠા E-KYC કેવી રીતે કરવું?

1. તમારા મોબાઇલમાં ‘મારું KYC’ અને ‘આધાર FaceRD’ એપ ડાઉનલોડ કરો.

2. એપ ખોલ્યા પછી તમારું લોકેશન દાખલ કરો.

3. આધાર નંબર, કેપ્ચા અને મળેલા OTP દાખલ કરો.

4. તમારી માહિતી સ્ક્રીન પર દેખાશે. હવે “Face e-KYC” વિકલ્પ પસંદ કરો.

5. કેમેરા દ્વારા તમારું ફોટો ક્લિક કરીને સબમિટ કરો.