જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં મારામારીની ઘટના સામે આવી છે જ્યાં જોડિયા બજારમાંથી હટાણું કરી ઘરે પરત ફરી રહેલા સાર્મીબેનને જન્નતબેન દ્વારા અપશબ્દો ભૂંડા બોલી ગાળો કાઢી અને લાફા તથા ઢીકા પાટુનો માર મારતા મુબારકભાઈ ઈબ્રાહીમભાઇ મહોર દ્વારા જોડિયા પોલીસ પંથકમાં ફરિયાદ નોંધાવી છે
મુબારકભાઈ ઈબ્રાહીમભાઈ મહુર દ્વારા પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે સાંજના સમયે મારા ભાભી સારમીનબેન અમારા ઘરે આવીને ઘરની બહાર જીન્નતબેન ભૂંડા ગાળો બોલતા હોવાની જાણ કરી હતી. ત્યારબાદ હું અને મારા ભાભી જન્નતબેનના ઘરે ગયા ત્યાં જોયું તો મારા પત્ની નસરીન તથા જન્નતબેન અને તેમનો દીકરો રમજાન અને આજુબાજુના રહેવાસીઓ ત્યાં હાજર હતા અને સમાધાનની વાત ચાલી રહી હતી તે દરમિયાન જન્નતબેનનો દીકરો રમજાન અનવરભાઈ રાધા અચાનક લોખંડનો પાઇપ લઈને મને માથાના ડાબી બાજુ કાન ઉપર મારતા લોહી નીકળવા લાગ્યુ હતું.મને માથાના ભાગમાં લોખંડનો પાઇપ વાગતા 108 એમ્બ્યુલન્સના માધ્યમથી પહેલા જોડિયાની સરકારી દવાખાના ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બાદમાં જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો
જોડિયા તાલુકામાં બનેલ મારામારીની આ ઘટના અંગે ટૂંકમાં વિગતવાર માહિતી આપીએ તો ફરિયાદી મુબારકભાઈ ઈબ્રાહીમભાઈ મહુરના ભાભી સારમીનબેન તેમજ પત્ની નસરીનબેન જોડીયા બજારમાંથી હટાણું કરીને પરત ઘરે ફરી રહ્યા હતા તે દરમિયાન જન્નતબેનના ઘર પાસેથી નીકળતા કોઈપણ કારણોસર ભૂંડા બોલી ગાળો કાઢી અને લાફા તથા ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો આ સાથે જ ફરિયાદી પર જન્નતબેનના પુત્ર રમઝાન દ્વારા અચાનક લોખંડના પાઇપ વડે હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી જે અંગે જોડીયા પોલીસ પંથકમાં ફરિયાદ નોંધઈ છે