Ahmedabad News: અમદાવાદ શહેરમાંથી માતા પુત્રની આપઘાત ની ઘટના સામે આવી છે જેમાં અમદાવાદના રિવરફ્રન્ટમાં નિકોલની પરિણીતાએ પુત્ર સાથે નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો છે સાબરમતી વેસ્ટ પોલીસી આ મામલે તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે નદીમાં ફાયર વિભાગે મૃતદે બહાર કાઢ્યો છે અને પોલીસે માતા વિરુદ્ધ પુત્રની હત્યાનું ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી અનુસાર અમદાવાદના નિકોલની મહિલાએ ત્રણ વર્ષના પુત્ર સાથે નદીમાં ચપલાવી આપઘાત કર્યો છે પુત્રને દુપટ્ટા સાથે બાંધીને પોતે પણ મોતની સલામ લગાવી હતી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે આપઘાત કર્યાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું બીજી તરફ મૃતક પાસેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નથી મોતનું કારણ શું છે અને કયા કારણોસર મહિલાએ પોતાના ત્રણ વર્ષના પુત્ર સાથે રિવરફ્રન્ટમાં કૂદીને આત્મહત્યા કરી તેનું કારણ શોધવા માટે તપાસ કરી રહી છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પારિવાર એક સમસ્યાઓના કારણે આપઘાત કર્યો હોઈ શકે છે આ સિવાય અન્ય પણ કારણ હોઈ શકે છે તે તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે
મહિલાએ પોતાના ત્રણ વર્ષના માસુમ પુત્ર સાથે આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે પરિવારના સભ્યોનું પોલીસ હાલ નિવેદન નોંધીને કારણ શોધવાની પ્રયાસ કરી રહ્યા છે સાથે જ પોલીસ પણ મૂંઝવણમાં છે કે કયા કારણોસર મહિલાએ પોતાના માસુમ ત્રણ વર્ષના બાળક સાથે રિફરફ્રન્ટમાં ઝંપલાવીને આવીને આત્મહત્યા કરી છે