જામનગર: આજના સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં બીજા પર ભરોસો કરીને લોકો પૈસા શેરબજાર જેવા ક્ષેત્રમાં રોકાણ કરતા હોય છે પરંતુ ઘણીવાર મોટી લાલચ વધુ નુકસાન કરાવી દેતી હોય છે આવો જ એક કિસ્સો જામનગર શહેરમાં બન્યો છે જ્યાં નિવૃત્ત પ્રોફેસર પાસેથી શેર બજારમાં રોકાણ કરવાના બહાને 50 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાના અહેવાલ મળી રહ્યા છે મળતી વિગતો અનુસાર ચીટર ટોળકી દ્વારા નિવૃત્ત પ્રોફેસરને શેરબજારમાં રોકાણ કરવાના બહાને પોતાની જાળમાં ફસાવ્યો હતો.
નિવૃત્ત પ્રોફેસરે 50 લાખની રકમ ગુમાવ્યા હોવાની ફરિયાદ જામનગર સાબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવી હતી જેમાં ત્રણ આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ કેસની ઊંડાણપૂર્વ તપાસ કર્યા બાદ ઈન્દોર સુધી તપાસનો દોર લંબાવ્યો હતો જેમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જેની પાસેથી લેપટોપ ત્રણ મોબાઈલ સહિત એક કાર કબજે કરી છે
આ બનાવની વિગતવાર વાત કરીએ તો બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શામજીભાઈ ડાયાભાઈ અટારા જેમની ઉંમર 72 વર્ષની આસપાસ છે તેમને ચીટર ટોડકી દ્વારા શેર બ્રોકિંગના બહાને પોતાની જાળમાં ફસાવ્યા હતા. શેરબજારમાં રોકાણના બહાને 50 લાખ જેવી રકમ પડાવી હતી જેમને ફરિયાદ શામજીભાઈ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી હતી. સાબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ એક મહિલા સહિત ત્રણ ચીટર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાંથી એક આરોપી ઇન્દોરથી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે
પોલીસે ચીટર ટોડકીના આરોપીને પકડવા માટે ઇન્દોર પહોંચી હતી જ્યાંથી બંટી ઉર્ફે અંકિત બંસીલાલ શર્મા નામના શખ્સને ઝડપી જામનગર લાવવામાં આવ્યો હતો જ્યાં રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેની પાસેથી એક લેપટોપ કાર સહિત ત્રણ મોબાઈલ કબજે કરી અન્ય મહિલા સહિત બે સાગરીતો શોધખોળ હાથ ધરવામાં આવી છે