RBI New Rule: જે લોકો એકથી વધુ વાર પર્સનલ લોન લે છે તેમના માટે RBએ નવા નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નવા નિયમ મુજબ એકથી વધુ લોન લેનાર ગ્રાહકો માટે મુશ્કેલીઓ વધી શકે છે લોન આપતી બેંકો અને નાણાકીય સંસ્થાઓ એ પણ હવે આવા ગ્રાહકોના ક્રેડિટ બ્યુરો રેકોર્ડ 15 દિવસની અંદર અપડેટ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે લોનમાં ઘણા બધા ફ્રોડ પણ થતા હોય છે ફ્રોડને અટકાવવા માટે આરબીઆઈ અગાઉ ઘણા બધા નિયમોમાં પણ ફેરફાર કર્યો છે ક્રેડિટ બ્યુરો રેકોર્ડ મહિનામાં એકવાર કરવામાં આવતું હતું પરંતુ હવે 15 દિવસની અંદર અપડેટ કરવાની સૂચના આપવામાં આવી છે રિઝર્વ બેન્કનું કેવું છે કે આનાથી લોન લેનારાઓના જોખમનું વધુ સારું રીતે આંકલન કરવામાં મદદ થઈ શકે છે
લોન ખાતર ધિરાણ પર અંકુશ આવશે
મીડિયા રિપોર્ટનું માન્ય તો લોન લેનાર જૂની લોન ચૂકવવામાં અસમર્થ હોય તો નવી લોન તેઓ લેતા હોય છે જેનાથી કુલ લોનની રકમ પણ વધી જતી હોય છે આવા સંજોગોમાં લોન લેનારાઓને તાત્કાલિક રાહત આપે છે પરંતુ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે જોખમો વધી જતા હોય છે આ રીતે લોન લેનાર ક્યારે તેમની જૂની લોન સંપૂર્ણ રીતે ચૂકવી શકતા નથી અને દેવાનું બોજ સતત વધી જાય છે ત્યારે આરબીઆઈના આ નવા નિયમથી જ્યાં સુધી પહેલી લોન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બીજી લોનનો રેકોર્ડ ચોખ્ખો રાખવા ફાઈનસ કંપનીઓ તેમજ નાણાકીય સંસ્થાઓને સૂચનાઓ આપવામાં આવી છે
RBના નવા નિયમથી થશે અસર
બીજી તરફ નિષ્ણાતોનું એ પણ માનવું છે કે લોનના હપ્તા (EMI) મહિનામાં અલગ અલગ તારીખે ચૂકવવામાં આવતા હોય છે મહિનામાં એકવાર ક્રેડિટ રેકોર્ડ અપડેટ કરવાથી હપ્તો ચુકી જાય છે અથવા હપ્તો ચૂકવ્યા બાદ માહિતી જોવામાં 40 દિવસ સુધીનો સમય લાગતો હોય છે આના કારણે કેડીટ એસેસમેન્ટમાં વિલંબ થાય છે નાણાકીય સંસ્થાઓને પણ તેમની અસર જોવા મળતી હોય છે સમય વધારીને હવે 15 દિવસ કરવાથી આ વિલમ ઘણો ઓછો થઈ જશે અને લોન લેનારનું ક્રેડિટ સ્કોર રેકોર્ડ પણ 15 દિવસે અપડેટ થશે જેની ધિરાણ સંસ્થાઓ સમયસર ડિફોલ્ટ વિશે સચોટ માહિતી મેળવી શકશે. આનાથી લોન લેનારોનો પણ મોટો ફાયદો થશે અને લોન આપનાર બેંક અથવા નાણાકીય સંસ્થાઓને પણ મોટી અસર થશે
વધુ વિગતવાર માહિતી આપે તો ઓગસ્ટ મહિનામાં આરબીઆઇ સૂચના જાહેર કરી હતી અને ક્રેડિટ બીરોને એક જાન્યુઆરી સુધીમાં તેમની સિસ્ટમ અપડેટ કરવા માટેનો સમય આપ્યો હતો નિષ્ણાતોનું માનવું છે કે નવા લોન લેનારા લોન લઈ શકે છે ત્યારે તેઓ કેટલી વાર એક સાથે અનેક લોન લેતા હોય છે જેના કારણે તેમને ચૂકવવામાં મુશ્કેલી પડતી હોય છે તેમને રાહત આપવા માટે આરબીઆઈ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે ડેટાને વારંવાર અપડેટ કરવાથી આ સ્થિતિ કરશે અને લેનારાઓની મુશ્કેલીઓમાં થોડો ઘટાડો થશે