Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જસાપર ગામે પાર્ટીના નામે ધર્માંતરણનો પ્રયાસ થવાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે હિન્દુ સેના પણ દોડી ગઈ હતી. સમગ્ર કાર્યક્રમ અટકાવવામાં આવ્યો હતો આ બનાવની જાણ પોલીસ પંથકમાં થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી
મળતી માહિતી અનુસાર જસાપર ગામમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ નાતાલ પર્વની ઉજવણી દરમિયાન 200 જેટલા ખેતમજૂરો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઈસુના પાઠ કરવામાં આવતા હિન્દુ સેનાને જાણ થઈ હતી ત્યારબાદ હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઈ મહેતા તેમજ તેમની ટીમ તાત્કાલિક જસાપર ગામે દોડી ગઈ હતી અને સમગ્ર કાર્યક્રમને અટકાવવામાં આવ્યો હતો આ સાથે જ ધ્રોલ પંથક પોલીસ પણ જસાપર ગામે તોડી આવી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે
વધુમાં મળતી માહિતી અનુસાર ક્રિશ્ચિયન મિશન દ્વારા નાતાલની ઉજવણી ના નામે ધર્માંતરણની પ્રવૃત્તિ થતી હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટના ને પગલે હિન્દુ સેના જસાપર ગામે દોડી ગઈ હતી સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરી હતી સાથે જ હિન્દુ સેના દ્વારા આ કાર્યક્રમને અટકાવવામાં આવ્યો હતો