Jamnagar : આજે સમગ્ર ગુજરાતમાં ઉતરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ વાનગીઓમાં સૌથી વધુ ઊંધિયાનું જોરદાર વેચાણ થયું હતું ધ્રોલ તાલુકામાં ઊંધિયાનું વેચાણ મોટા પ્રમાણમાં થયું હતું એવું માનવામાં આવે છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દીપમાલા કેટરિંગ મેનેજમેન્ટ દ્વારા બનાવવામાં આવતું ઊંધિયું ખૂબ જ વખણાય છે
શહેરમાં વહેલી સવારથી જ દીપમાલા કેટરિંગ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ ઊંધિયું ખરીદવા માટે લોકોને લાંબી લાઈનો લાગી હતી “વેપારી લાલાભાઇ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે વર્ષોથી ઊંધિયાનું ખાસ કરીને ઉત્તરાયણના પર્વ પર વેચાણ કરી રહ્યા છે આ વખતે અમે અલગ વેરાઈટીનું પણ વેચાણ કર્યું હતું. લીલવા કચોરી જે ખૂબ જ પ્રખ્યાત છે અને આજે મોટા પ્રમાણમાં તેમનું વેચાણ થયું હતું લોકો પણ આ પર્વ પર કચોરી ખાવાનું પસંદ કરતા હોય છે મારા પિતાજી પણ આ વાનગીમાં વર્ષોથી જોડાયેલા હતા તેમના વારસાગત તમે આ રીતની ઊંધિયું અને લીલવા કચોરી જેવી વાનગીઓનું આ ઉતરાયણના દિવસે વેચાણ કરીએ છીએ”
ધ્રોલમાં આવેલ જય ગણેશ ડેરી ફાર્મમાં પણ મોટા પ્રમાણમાં ઊંધિયાનું વેચાણ કરવામાં આવ્યો હતુ ઠંડીનો માહોલ હતો તેમ છતાં પણ વહેલી સવારમાં જ લોકો ઊંધિયું ખરીદવા માટે પહોંચી ગયા હતા.