Jamnagar News: જામનગર શહેરમાં ફરી એકવાર ગુનાહિત પ્રવૃત્તિની ઘટના સામે આવી છે જેમાં ગોરધન પર ગામમાં એક મહિલાના ઘરે તાળું તોડીને ફ્રીજ એસી ટીવી જેવા સામાન તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સિવાય ૫૫ હજારની રોકડ રકમ પણ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે મહિલાએ આ અંગે નીલકમળ સોસાયટીમાં રહેતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે મળતી માહિતી અનુસાર પૈસાની ઉઘરાવણી માટે મહિલા તથા તેમના પતિને વારંવાર ફોન પર આ શખ્સ દ્વારા ધમકી આપવામાં આવતી હતી
આ બનાવ અંગે વિગતવાર વાત કરીએ તો જામનગર નજીક આવેલ ગોરધનપર ગામમાં ગ્રીન સોસાયટીમાં સાક્ષીબેન હિતેશભાઈ પિત્રોડા નામની 42 વર્ષીય મહિલા રહે છે જેમના ઘરનું તાળું તોડીને ટીવી ફ્રીજ જેવા સામાન તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ મકાનમાં રાખેલી રોકડ રકમ 55000 સહિત ઘરેણાની ચોરી થઈ હોવાનું પણ સાક્ષીબેન પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું હતું. જામનગરના નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા અનિરુદ્ધસિંહ પરમાર સામે સાક્ષી બેને ફરિયાદ નોંધાવી છે
મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી સાક્ષીબેન ના પતિ હિતેશભાઈ ખાનગી કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આરોપી અનિરુદ્ધસિંહ પરમારના સંપર્ક પછી કંપનીમાં તેમને કામ મળ્યું હતું જે કામ દરમિયાન પાસેથી ₹20,000 ની રકમ હાથ ઉછીની લીધી હતી પરંતુ ૨૦૦ હજાર રૂપિયાની રકમ કામ પૂરું થાય ત્યારબાદ આપવાની હતી ત્યાં સુધી બેંકના વ્યાજ પ્રમાણે તેઓ ચૂકવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ અનિરુદ્ધ પરમારે તાત્કાલિક પૈસાની માંગણી કરી હતી. ત્યારબાદ હિતેશભાઈના પત્ની સાક્ષીબેન ના ફોન પર ફોન કરીને અનિરુદ્ધએ કંકાવવાનું શરૂ કરી દીધું હતું અને પૈસાની પણ માંગણી કરી હતી. ત્યારબાદ અનિરુદ્ધ પરમાર મુશ્કેલાઈ જતા સાક્ષીબેન ફોન પર ગાળો પણ આપી હતી ત્યારબાદ તેમના ઘરમાં તાળું તોડીને પ્રવેશી મહત્વનો સામાન તોડીને નુકસાન પહોંચાડ્યું હતું ઘરેણાં સહિત 55 હજાર રૂપિયા રોકડ ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે અનિરુદ્ધ પરમાર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે